શું તમે પણ સ્ટુડન્ટ વિઝા પર Canada જવાનું વિચારી રહ્યા છો? જતા પહેલા વાંચીલો આ સમાચાર કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-08-24 17:02:18

વિદેશમાં જઈ ભણવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધી ગયો છે. આપણામાંથી અનેક એવા હશે જેના પરિવારમાંથી કોઈને કોઈ સદસ્ય વિદેશમાં ભણવા ગયો હશે. જો વિદેશમાં ભણવા જવું છે અને તમને એક એવા દેશની શોધમાં હોય કે જ્યાં સરળતાથી બધુ મળી રહે તો લોકો અથવા ગુજરાતીઓ કેનેડાને સૌથી પહેલા પસંદ કરે છે. પછી બીજા દેશ બાજુ નજર કરતા હોય છે. પણ જો હવે કોઈને કેનેડામાં વિદ્યાર્થી વિઝા પર ભણવા જવું છે તો અઘરું પડી શકે છે. કારણ કે ત્યાં રહેવાની જગ્યાઓ હવે ઓછી પડવા લાગી છે. 


કેનેડા બન્યું વિદ્યાર્થીઓની પહેલી પસંદ 

કેનેડા સરકારના મંત્રીએ હમણા જબરદસ્ત જાહેરાત કરી દીધી છે જે બધા એવા લોકોને ચિંતામાં મૂકી દીધા છે જેને કેનેડામાં ભણવા કે કમાવવા માટે જવું છે. સીન ફ્રેઝરે કહ્યું હતું કે કેનેડામાં વધારે લોકો આવી રહ્યા છે એના કારણે હવે રહેવાની જગ્યાઓ ઓછી થઈ રહી છે, તો કેનેડાની સરકાર વિચારી રહી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર નિયંત્રણ મૂકવા વિચારી શકે છે. આંકડાઓ પર ધ્યાન કરીએ તો સત્તાવાર આંકડા મુજબ 2022માં કેનેડામાં સક્રિય વિઝાવાળા વિદ્યાર્થી 8 લાખથી વધુ છે. ઠીક દસ વર્ષ પહેલા વિઝાવાળા વિદ્યાર્થી પોણા ત્રણ લાખ હતા અને અત્યારે 8 લાખ થઈ ગયા છે અને સંખ્યા વધી જ રહી છે. આવું પણ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેનેડામાં આસાનીથી નોકરી મળી જાય છે અને લોકોને રહેવું સહેલું છે. 


સ્ટુડન્ટ વિઝા પર મૂકાઈ શકે છે મર્યાદા!

ટૂંકમાં સીન ફ્રેઝરે કહ્યું છે કે એ સ્ટુડન્ટ વિઝા પર મર્યાદા મૂકાઈ શકે છે, મૂકાઈ જશે એવું નથી કહ્યું. આવું પણ તેમને એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડા એ પ્રકારે બનાવાયું છે કે હવે તેમાં વધારે લોકો સમાઈ શકે એમ જ નથી. કેનેડાની જસ્ટીન ટ્રુડો સરકાર પણ આ મુદ્દા પર કામ કરી રહી છે પણ પડકાર મોટો છે માટે તકલીફ પડી રહી છે. જો કે બીજી બાજુ ફ્રેઝરે સ્વયં સ્વીકાર કર્યો હતો કે નવા રહેવાસીઓને આવવા પર રોક લાવી દેવી એ પણ સમાધાન નથી તેના માટે અલગથી વિચાર કરવો પડશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.