શું સાચે કોરોનાની સાઈડઈફેક્ટથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? આ અંગે ડોક્ટરે જણાવ્યું કારણ, સાંભળો ડોક્ટરે શું આપી સલાહ?


  • Published By :
  • Published Date : 2023-07-04 10:07:22

પહેલા લોકો એવું માનતા હતા કે હૃદય રોગનો હુમલો માત્ર મોટી ઉંમરના વડીલોને જ આવતા હોય છે. શરીર નબળું પડી જવાને કારણે તેમજ શારીરિક ક્રિયાઓ ઓછી થવાને કારણે હાર્ટ એટેક આવતા હોય છે. થોડા સમય પહેલા યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડે છે અને જ્યારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે તેમને ડોક્ટર મૃતજાહેર કરી દેતા હોય છે. થોડા સમય પહેલા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ હાર્ટ એટેકનો શિકાર બની ગયા હતા. હજારો લોકોની સર્જરી કરનાર ડોક્ટરને પણ ખબર ન હતી તે હાર્ટ એટેકનો શિકાર બનશે. ત્યારે થોડા દિવસોથી વિદ્યાર્થીઓ તેમજ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.


અનેક બાળકોને આવ્યો છે હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એકદમ ફિટ લાગતા લોકો ગમે ત્યારે ઢળી જાય છે અને મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત રમત રમતી વખતે આ હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે ગઈકાલે  એક જ દિવસમાં નાની ઉંમરના બે લોકોનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. દસમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરૂપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો. સ્ટેજ પર હતો ત્યારે તે અચાનક ઢળી પડયો. જે મસ્તક જે હાથ ગુરૂના ચરણોમાં પડવાના હતા તે અચાનક બંધ પડી ગયા. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ નારિયેળના બગીચામાં કામ કરતો યુવક હાર્ટ એટેકનો ભોગ બની ગયો હતો. તે પહેલા પણ શાળામાં ભણતી વિદ્યાર્થીની પણ હાર્ટ એટેકનો ભોગ બની હતી. સીડી ચઢી રહી હતી તે દરમિયાન તે પડી ગઈ અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


સાંભળીએ ડોક્ટરે શું આપી માહિતી?

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ જમાવટની ટીમે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે સમજાવ્યું કે આ કારણોને લઈ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જાણીએ કયા સાવચેતીના પગલા લેવા ડોક્ટરે સમજાવ્યું?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!