રામજન્મ ભૂમિના પુરાતત્વ પુરાવા શોધનાર આર્કિયોલોજીસ્ટનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:04:32

પ્રો.બી.બી લાલના નામથી જાણીતા પુરાતત્વ વિભાગના પૂર્વ ડિરેક્ટર બ્રજવાસી લાલનું શનિવારે નિધન થયું છે. રામ મંદિરના પુરાવા શોધનાર બ્રજવાસીજીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે.

 


પ્રાચીન પુરાવા શોધવા લેતા મહાભારત અને રામાયણનો આશરો  

ભારતના સૌથી વરિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મનાતા બી.બી.લાલએ રામમંદિર નિર્માણ માટેના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. તેમજ તેઓ પ્રાચીન પુરાવા શોધવા મહાકાવ્ય મહાભારત તેમજ રામાયણનો આશરો લેતા. તેમાં ઉલ્લેક ધરાવતા સ્થળો પર ખોદકામ કરી અનેક પુરાવા તેમજ ઐતિહાસિક વસ્તુ શોધતા. 

રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્ય માટે કરાશે યાદ

સૌથી મોટો મુદ્દો બનેલા રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્યથી તેઓ હમેશાં યાદ રહેશે. તેમણે રામમંદિરના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. ઢાંચાની નીચે મંદિર હોવાનું તેમણે પ્રમાણિત કર્યું હતું. તેઓ હાઈકોર્ટમાં સાક્ષી પણ બન્યા હતા. 

વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલી  

2000ના વર્ષમાં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિખ્યાત આર્કિયોલોજીસ્ટને વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી છે. તેમને ટ્વિટ કરી કહ્યું સાંસ્કૃતિક અને પુરાતત્વ ક્ષેશ્રમાં તેમનું અતુલનિય યોગદાન છે. વડાપ્રધાને બ્રજવાસીજી સાથેનો ફોટો શેર કર્યો.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.