અર્બુદાસેના આવી વિપુલ ચૌધરીના સમર્થનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:25:47

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીને 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે ત્યારે ચૌધરી સમાજ તેમની જેલ મુક્તિ માટે કાર્યક્રમો જાહેર કર્યા છે. 


વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે અર્બુદા સેના મેદાને

અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ભાજપનો ચહેરો ખુલ્લો પાડવાના હતા પણ સરકારે શક્તિનો ઉપયોગ કરી તેમને જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે અર્બુદા સેના વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેના માટે ધરણા કરશે અને જેલભરો આંદોલન કરશે. 


અર્બુદા સેના શું આયોજન કરી રહી છે?

અર્બુદા સેના 20 ઓક્ટોબરથી રોજ જિલ્લા કક્ષાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિનીમાગ સાથે ધરણા કાર્યક્રમો યોજશે. ગુજરાતના જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે અને વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવશે. 21 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના જેલભરો આંદોલન કરશે. અર્બુદા સેનાના કાર્યકરો કે સભ્યો પોલીસ સમક્ષ જાતે હાજર થઈ જશે અને પોતાને જેલમાં દાખલ કરવાની માગો કરશે. 30 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની મહાપંચાયત યોજવામાં આવશે. 


વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.