અર્બુદા સેના vs ઋષિકેશ પટેલ, કોનું પલ્લું રહેશે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-11 18:35:30

ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.ત્યારે મહેસાણાની વિસનગર બેઠક ઉપર હાલ ગરમા ગરમી જોવા મળી રહી છે.વિસનગર બેઠકના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે અગાઉ પોતાનો વિસ્તાર બદલીને ઊંઝા બેઠક ઉપરથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હાઇકમાંડે તે મંજૂર ન કરી વિસનગરથી ટિકિટ આપવામાં આવી છે. વિપુલ ચૌધરી ધરપકડ પ્રકરણમાં ઋષિકેશ પટેલની મહત્વની ભૂમિકા હતી તેવા આક્ષેપો અર્બુદા સેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને વિસનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજના ગામોમાં ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા. હવે મામલો ગરમાયો છે અને ઋષિકેશ પટેલને હરાવવા અર્બુદા સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


વિપુલ ચૌધરી જેલમાં છે 

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ આંજણા ચૌધરી સમાજના કદાવર નેતા વિપુલ ચૌધરીની કથિત 750 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિપુલ ચૌધરી સાબરમતી જેલમાં છે. અને તેના કારણે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ વખતની ચુંટણી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે હાલની પરિસ્થતિમાં વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે વિપુલ ચૌધરીને જામીન નહીં મળે તો વિપુલ ચૌધરી જેલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવી શકે છે 


અર્બુદા સેનાથી ઋષિકેશ પટેલને શું નુકશાન ?

અર્બુદા સેના દ્વારા ભાજપને ધોળા દિવસે તારા બતાવવાની ચીમકી આપવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આંજણા ચૌધરી સમાજના અંદાજે 30થી 35 હજાર મતદારો છે અને જો આ મતદારો ભાજપની વિરુધ્ધમાં જાય તો ઋષિકેશ પટેલને લીલાતોરણે ઘેર આવવું પડી શકે છે. ઋષિકેશ પટેલને પણ વિસનગર બેઠક ઉપરથી પોતે હારી રહ્યા છે તેનો અણસાર આવતા તેમણે ઊંઝા બેઠક પરથી દાવેદારી કરી હતી. પણ હાઇકમાંડે તે માન્ય રાખી નથી. હવે ઋષિકેશ પટેલને વિસનગરથી જ ચુંટણી લડવાની છે હવે આ બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને મતદારો માટે આ બેઠક રસપ્રદ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વિસનગરમાં વિપુલ કોના વિરુધ્ધમાં જશે ?




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.