વિપુલ ચૌધરીનાં સમર્થનમાં બાસણામાં ઉમટ્યો ચૌધરી સમાજ, ભાજપ સામે કર્યા આકરા પ્રહારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:38:41

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીની ધરપકડનાં વિરોધમાં આજે મહેસાણાના બાસણા ગામ ખાતે અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અર્બુદાધામ ખાતે હજારોની સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો એકઠા થયા છે અને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. 

આંજણા ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા અનેક સ્થળે રેલીઓ યોજવામાં આવી રહી છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. આજે બાસણામાં રાજ્ય સરકાર અને ભાજપને સમાજની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના દરેક ખૂણેથી આંજણા ચૌધરી સમાજના લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવા પહોંચ્યા છે.

ભાજપ તારી ભૂલ,કરમાય જશે ફૂલના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા  


વિસનગરના 24 ગામોએ ભાજપના નેતાઓનો કર્યો  બહિષ્કાર 

ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકપ્રિય નેતા વિપુલ ચૌધરીની ધરપકડના જોરદાર પડઘા પડ્યા છે. વિસનગરના 24 ગામમાં અર્બુદા સેના દ્વારા ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો છે. ગામની બહાર ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વિસનગરના દઢીયાર, મગરોડા, ખરવડા, બાસના, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસના, ગુજાળા, તરભ, ખંડોસન, કાજી આલિયાસના, પાલડી, કિયાદરા, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર, રામપુરા, રાવળા પુરા, રામપુરા, ખડલપુર, બાકરપુર, રંગાકુઈ, રંડાલા ગામમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડ શા માટે થઈ?

વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ આચરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે આ સમગ્ર મામલે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીની મહેસાણા ACBએ 800 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના CA શૈલેશ પરીખની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય વિપુલ ચોધરીના પત્ની અને તેમના પુત્ર પર પણ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.