વિપુલ ચૌધરીનાં સમર્થનમાં બાસણામાં ઉમટ્યો ચૌધરી સમાજ, ભાજપ સામે કર્યા આકરા પ્રહારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:38:41

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીની ધરપકડનાં વિરોધમાં આજે મહેસાણાના બાસણા ગામ ખાતે અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અર્બુદાધામ ખાતે હજારોની સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો એકઠા થયા છે અને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. 

આંજણા ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા અનેક સ્થળે રેલીઓ યોજવામાં આવી રહી છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. આજે બાસણામાં રાજ્ય સરકાર અને ભાજપને સમાજની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના દરેક ખૂણેથી આંજણા ચૌધરી સમાજના લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવા પહોંચ્યા છે.

ભાજપ તારી ભૂલ,કરમાય જશે ફૂલના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા  


વિસનગરના 24 ગામોએ ભાજપના નેતાઓનો કર્યો  બહિષ્કાર 

ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકપ્રિય નેતા વિપુલ ચૌધરીની ધરપકડના જોરદાર પડઘા પડ્યા છે. વિસનગરના 24 ગામમાં અર્બુદા સેના દ્વારા ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો છે. ગામની બહાર ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વિસનગરના દઢીયાર, મગરોડા, ખરવડા, બાસના, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસના, ગુજાળા, તરભ, ખંડોસન, કાજી આલિયાસના, પાલડી, કિયાદરા, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર, રામપુરા, રાવળા પુરા, રામપુરા, ખડલપુર, બાકરપુર, રંગાકુઈ, રંડાલા ગામમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડ શા માટે થઈ?

વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ આચરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે આ સમગ્ર મામલે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીની મહેસાણા ACBએ 800 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના CA શૈલેશ પરીખની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય વિપુલ ચોધરીના પત્ની અને તેમના પુત્ર પર પણ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.