Arbuda Senaના નેતા અને Former Home Minister Vipul Chaudhryએ કરી ટિપ્પણી. સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-11 16:58:58

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં. ચૂંટણીના સમયે રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત વિવાદ ઉભો કરી દેતો હોય છે. ત્યારે પાટીદાર સમાજને લઈ પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે અને અનેક પાટીદારોમાં તેમના નિવેદનને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. 

પાટીદાર સમાજને લઈ વિપુલ ચૌધરીએ આપ્યું હતું નિવેદન!

અર્બુદા સંગઠનની બેઠક મળી હતી જેમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ પાટીદાર સમાજના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં સેવાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે ઉપરાંત પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વેપારી કરણ અને રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ નિવેદન બાદ પાટિદાર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.