Arbuda Senaના નેતા અને Former Home Minister Vipul Chaudhryએ કરી ટિપ્પણી. સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-11 16:58:58

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં. ચૂંટણીના સમયે રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત વિવાદ ઉભો કરી દેતો હોય છે. ત્યારે પાટીદાર સમાજને લઈ પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે અને અનેક પાટીદારોમાં તેમના નિવેદનને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. 

પાટીદાર સમાજને લઈ વિપુલ ચૌધરીએ આપ્યું હતું નિવેદન!

અર્બુદા સંગઠનની બેઠક મળી હતી જેમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ પાટીદાર સમાજના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં સેવાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે ઉપરાંત પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વેપારી કરણ અને રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ નિવેદન બાદ પાટિદાર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.    



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.