પાલનપુરમાં આવતી કાલથી ભવ્ય અર્બુદા મહોત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ લોકો હાજરી આપશે


  • Published By :
  • Published Date : 2023-02-02 21:14:45

બનાસકાંઠાના પાલનપુરમાં આવતી કાલથી અર્બુદા રજત જયંતી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થશે. અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવનું આયોજન પાલનપુરમાં આદર્શ વિદ્યાલય ખાતે  કરવામાં આવ્યું છે. આ રજત જયંતી મહોત્સવ નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા અર્બુદા મહોત્સવમાં લગભગ 10 લાખ કરતા પણ વધારે ભક્તો ઉમટે તેવી સંભાવના છે. બનાસકાંઠાના ચૌધરી -આંજણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં હાજરી આપશે.


આજે નિકળી માતાજીની શોભાયાત્રા


અર્બુદા રજત મહોત્સવને લઈને આજે પાલનપુરના અર્બુદાધામથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં અને હાથી-ઘોડા સાથે 12 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં એક લાખ લોકો જોડાયા અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાઈ અને પાલનપુરના અર્બુદાધામમાં 50 હજાર લોકો મહાઆરતી કરી હતી.


ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઈ


આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. આ સહસ્ત્ર ચંડી યજ્ઞ માટે બે લાખ ફૂટ જગ્યામાં ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. માતાજીના આ મહોત્સવમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું. 


10 લાખથી વધુ લોકો લેશે પ્રસાદ 


પાલનપુર અર્બુદા ધામ ખાતે સમગ્ર રાજ્ય ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. મહોત્સવ માટે 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી સમાજની 5 હજારથી વધુ બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા છે. આ લાડુ બનાવવામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ત્રણ દિવસ સુધી તમામ સમાજના લાખો લોકો ભોજન પ્રસાદ લેશે.


રાત્રે લોકડાયરાનું આયોજન


પાલનપુરના અર્બુદાધામમાં ચૌધરી-આંજણા સમાજની 5 હજાર જેટલી બહેનોએ માતાજીના નામની મહેંદી મૂકાવી છે. બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. આ અર્બુદા મહોત્સવના આયોજનના ત્રણ રાત્રી દરમિયાન ભવ્ય લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!