અરવલ્લી: સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બોટ દોડાવી પડી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 16:18:28

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બાયડની નિચાણ વાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોને એનડીઆરાએફ દ્વારા રેસ્ક્યુ કરાયું


     અરવલ્લી જિલ્લા માં ખબકેલ વરસાદ માં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકા માં ખાબક્યો હતો બાયડ શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ ના કારણે બાયડ નું રામ નું તળાવ,ગામ નું તળાવ ઓવરફ્લો થયું જેના કારણે એ તમામ પાણી નિચાણ વાળા વિસ્તારો માં આવે છે જેના કારણે શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તાર માં રહીશો ના ઘરો માં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા જેથી એનડીઆરએફ અને મોડાસા ફાયર ની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યુ કરી નાના બાળકો,ગર્ભવતી મહિલા,વૃદ્ધો ને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી 200 કરતા વધારે લોકો નું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યુ ચાલુ રખાયું છે





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.