અરવલ્લી: ધનસુરામાં નરાધમે મિત્રની 4 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી કરી હત્યા, ઘટના બાદ પંથકમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-31 17:50:48

અરવલ્લીના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે આ ઘટનામાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પિતાના મિત્રએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી, આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપીને પકડીને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના બાદ પંથકમાં હાહાકાર મચી ગયો છે. લોકો હેવાન મિત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો?


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ કેશરપુરા ગામમાં ચાર વર્ષની બાળકીને એક નરાધમ યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઘટના એવી છે કે, ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધમે પોતાની મિત્રની ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી, જ્યારે તેને મોકો મળ્યો તો તેને બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો, નરાધમની હેવાનિયત એટલી હદે દેખાઇ કે તેને ઘરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, તેને બચકાં ભર્યા અને બાદમાં ઘરમાં જ તેની હત્યા કરી નાંખી હતી. બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. આરોપીનું નામ જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર હોવાનું ખુલ્યું છે. 


કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માગ


આ ઘટનાની જાણ ગામ લોકોને થઇ જતાં ગ્રામજનોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને બરાબરનો ફટકાર્યો હતો, બાદમાં આ બનાવની જાણ  થતા પોલીસ પણ દોડી આવી હતી. લોકોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં અરવલ્લી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધનસુરા પોલીસ સહિત ડી વાય એસ પી, એલ સી બી , એસ ઓ જી બાયડ સી પી આઇ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપી ને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. ઘટનાને લઈ લોકોએ પોલીસ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે રીતસર હડકંપ મચી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..