દિલ્હીમાં આજે AQI 400ને પાર, ફરી અમલી બન્યું ઓડ-ઈવન, 13થી 20 નવેમ્બર સુધી થશે કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:31:31

રાજધાની નવી દિલ્હીમાં ફરી એક વખત વાયુ પ્રદુષણે ચિંતા વધારી છે, રાજ્યની કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદુષણને ફેલાતું રોકવા માટે ફરી એક વખત એડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન આગામી  તારીખ 13થી 20 નવેમ્બર સુધી અમલી બનશે. સરકારના નિર્ણય મુજબ દિલ્હીમાં બીએસ 3 અને બીએસ 4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત દિલ્હીમાં હવે છઠ્ઠી, 8મી, 9મી, અને 11મીની ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીમાં આજે સોમવારે સવારે વાયુ પ્રદુષણ ઈન્ડેક્સ  (AQI) 400ને પાર પહોંચી ગયો હતો, જે અત્યંત 'ગંભીર' કેટેગરી માનવામાં આવે છે. 


કયા-કયા દિવસે ચાલશે ગાડીઓ?


દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને જોતા રાજ્યમાં ફરી એક વખત ઓડ-ઈવન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ પ્રણાલી 13થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ સુધી અમલી રહેશે, ત્યાર બાદ તેની સમીક્ષા કર્યા બાદ જે પ્રમાણે પ્રદુષણની પરિસ્થીતી રહેશે તે મુજબ તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઓડ-ઈવન દરમિયાન 1,3,5,7 અને 9 નંબરવાળી ગાડીઓ (જેની પાછળ આ નંબર છે) તે જ ચાલશે, ઈવનવાળા દિવસે જે ગાડીઓના નંબરની લાસ્ટમાં 0,2,4,6, અને 8 નંબર છે તે જ ગાડીઓ માર્ગો પર ચાલશે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.