BRTS કોરિડોરમાં અન્ય વાહન ન ચલાવવા લોકોને કરાઈ અપીલ, અનેક વખત ટ્રાફિકથી બચવા લોકો કરે છે કોરિડોરનો ઉપયોગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 10:59:21

રાજ્યના અનેક શહેરોમાં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે સુવિધા રહે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બીઆરટીએસ બસની સુવિધા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બીઆરટીએસ તેમજ એમએટીએસ બસની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. અનેક કિસ્સાઓમાં આપણે વાંક બસ ડ્રાઈવરનો કાઢતા હોઈએ છીએ પરંતુ સંપૂર્ણ પણે અનેક કિસ્સાઓમાં વાક બસ ડ્રાઈવરોનો નથી હોતો!

ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો BRTS કોરિડોરમાં ચલાવે છે વાહન  

બીઆરટીએસ બસ માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો તે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકથી બચવા માટે વાહન ચલાવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ બીઆરટીએસના અધિકારીઓએ ઝુંબેશ ચલાવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીસ બસ કોરિડોરમાં માત્ર બસને જ પસાર થવા દો. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે નોર્મલ રસ્તા પર ટ્રાફિક દેખાય તો સમય બચાવવા માટે આપણે વાહન કોરિડોરમાં ચલાવતા હોઈએ છીએ. વાહનચાલકો ઉપરાંત સવારે લોકો ચાલવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અનેક બીઆરટીએસ કોરિડોર તો એવા છે જ્યાં બાળકો રમતા પણ દેખાય છે. જો આવા સમયે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?



BRTS કોરિડોર બસ માટે છે તે લોકોને સમજાવાયું! 

લોકો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે તો બીઆરટીએસ બસ કયાં જશે?  ટ્રાફિકથી બચવા માટે લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ બીઆરટીએસ બસ કયા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે? બીઆરટીએસ કોરિડોરમાં અનેક વખત બહુ બધા વાહનો હોવાને કારણે બસને ઉભા રહેવું પડે છે. અનેક વખત રસ્તા પર વાહન ચાલકો આવી જાય છે તો કોઈ વખત રખડતા પશુઓ આવી જાય છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીએસ રસ્તા પર માત્ર બીઆરટીએસ બસને જ પસાર થવા દો. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદીઓને જે સમજાવવામાં આવ્યું છે તેમનું અમલીકરણ લોકો કરે છે કે પછી...  



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.