BRTS કોરિડોરમાં અન્ય વાહન ન ચલાવવા લોકોને કરાઈ અપીલ, અનેક વખત ટ્રાફિકથી બચવા લોકો કરે છે કોરિડોરનો ઉપયોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-14 10:59:21

રાજ્યના અનેક શહેરોમાં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે સુવિધા રહે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બીઆરટીએસ બસની સુવિધા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બીઆરટીએસ તેમજ એમએટીએસ બસની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. અનેક કિસ્સાઓમાં આપણે વાંક બસ ડ્રાઈવરનો કાઢતા હોઈએ છીએ પરંતુ સંપૂર્ણ પણે અનેક કિસ્સાઓમાં વાક બસ ડ્રાઈવરોનો નથી હોતો!

ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો BRTS કોરિડોરમાં ચલાવે છે વાહન  

બીઆરટીએસ બસ માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો તે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકથી બચવા માટે વાહન ચલાવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ બીઆરટીએસના અધિકારીઓએ ઝુંબેશ ચલાવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીસ બસ કોરિડોરમાં માત્ર બસને જ પસાર થવા દો. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે નોર્મલ રસ્તા પર ટ્રાફિક દેખાય તો સમય બચાવવા માટે આપણે વાહન કોરિડોરમાં ચલાવતા હોઈએ છીએ. વાહનચાલકો ઉપરાંત સવારે લોકો ચાલવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અનેક બીઆરટીએસ કોરિડોર તો એવા છે જ્યાં બાળકો રમતા પણ દેખાય છે. જો આવા સમયે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?



BRTS કોરિડોર બસ માટે છે તે લોકોને સમજાવાયું! 

લોકો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે તો બીઆરટીએસ બસ કયાં જશે?  ટ્રાફિકથી બચવા માટે લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ બીઆરટીએસ બસ કયા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે? બીઆરટીએસ કોરિડોરમાં અનેક વખત બહુ બધા વાહનો હોવાને કારણે બસને ઉભા રહેવું પડે છે. અનેક વખત રસ્તા પર વાહન ચાલકો આવી જાય છે તો કોઈ વખત રખડતા પશુઓ આવી જાય છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીએસ રસ્તા પર માત્ર બીઆરટીએસ બસને જ પસાર થવા દો. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદીઓને જે સમજાવવામાં આવ્યું છે તેમનું અમલીકરણ લોકો કરે છે કે પછી...  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!