રશિયાના રાષ્ટ્રપતિ સિવાયના દેશના મોટા નેતાઓએ મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 15:47:13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબીની દુર્ઘટનાની નોંધ લીધી હતી અને ભારતને સંવેદના પાઠવી હતી. આ સિવાય દુનિયાના મોટા નેતાઓએ ભારતને આ દુખથી ઉભરવા માટે સંવેદના પાઠવી હતી. ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મૃતકોના પરિજનોને આ દુખથી લડવા માટે તાકત મળે તેવી પ્રાર્થના કરી હતી. 


રશિયા રાષ્ટ્રપતિનો મોરબી મામલે સંદેશ 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લખ્યું હતું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાના દુ:ખદ પરિણામો પર રશિયા તરફથી સંવેદના સ્વીકારો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિતોના પરિવારોને દુખથી ઉભરવાની તાકત મળે. મોરબી દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 


રશિયા સિવાય નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દૈબાએ પણ મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ ઈલિસે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મોરબીની દુર્ઘટના દુઃખથી ભરી દે તેવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.