ફરી એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, અરવલ્લીમાં 27 વર્ષીય વ્યક્તિનું હૃદય હુમલાને કારણે મોત થતાં પરિવારમાં શોક


  • Published By :
  • Published Date : 2023-07-24 17:39:53

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રતિદિન મળી રહ્યા છે. પેહલા હાર્ટ એટેક વૃદ્ધોને આવતો હતો, તે બાદ ધીમે ધીમે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બની રહેલા હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એક યુવાનનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. અરવલ્લીમાં રહેતા 27 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો હોય. જે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે તેમનું નામ છે અશિત ચૌધરી. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. કોઈ યુવાન ક્રિકેટ રમતા રમતા, કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તેમને પણ ખબર નથી હોતી કે આવનારી પળ તેમના માટે અંતિમ પળ સાબિત થશે. સાજો દેખાતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. 


27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પરિવારમાં છવાયો શોક

નાની ઉંમરે લોકોના મોત થવાથી પરિવારનો આશરો છીનવાઈ જતો હોય છે. જે યુવાન માતા પિતાનો સહારો બનવાનો હોય અને તે જ સંતાનની અર્થી ઉઠાવતા પિતાની શું લાગણી હશે તે આપણે જાણી શકતા નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ખોયો છે. અરવલ્લીમાં રહેલા 27 વર્ષીય અશિત ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!