ફરી એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, અરવલ્લીમાં 27 વર્ષીય વ્યક્તિનું હૃદય હુમલાને કારણે મોત થતાં પરિવારમાં શોક


  • Published By :
  • Published Date : 2023-07-24 17:39:53

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રતિદિન મળી રહ્યા છે. પેહલા હાર્ટ એટેક વૃદ્ધોને આવતો હતો, તે બાદ ધીમે ધીમે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બની રહેલા હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એક યુવાનનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. અરવલ્લીમાં રહેતા 27 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો હોય. જે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે તેમનું નામ છે અશિત ચૌધરી. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. કોઈ યુવાન ક્રિકેટ રમતા રમતા, કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તેમને પણ ખબર નથી હોતી કે આવનારી પળ તેમના માટે અંતિમ પળ સાબિત થશે. સાજો દેખાતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. 


27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પરિવારમાં છવાયો શોક

નાની ઉંમરે લોકોના મોત થવાથી પરિવારનો આશરો છીનવાઈ જતો હોય છે. જે યુવાન માતા પિતાનો સહારો બનવાનો હોય અને તે જ સંતાનની અર્થી ઉઠાવતા પિતાની શું લાગણી હશે તે આપણે જાણી શકતા નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ખોયો છે. અરવલ્લીમાં રહેલા 27 વર્ષીય અશિત ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.