Gujaratમાં ફરી એક વખત નિર્માણાધીન બ્રિજ ધરાશાયી! Palanpurમાં બનતો બ્રિજ તૂટી પડ્યો, Corruptionને લઈ કોંગ્રેસે ભાજપને ઘેરી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-23 17:19:40

ગુજરાતને વિકાસશીલ રાજ્ય માનવામાં આવે છે. રાજ્યમાં અનેક બ્રિજોનું નિર્માણ થાય છે જેને કારણે લોકોને સુવિધા મળી રહે. પરંતુ અનેક વખત એ પુલના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતી હોય છે અનેક શ્રમિકો માટે તે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના પાલનપુરથી સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેની નીચે 3 લોકો દટાયા હોવાની આશંકા છે. તે ઉપરાંત સ્લેબ નીચે ટ્રેક્ટર અને રીક્ષા પણ દબાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અન્ય વાહનોને પણ નુકસાન થયું હોય તેવી માહિતી સામે આવી છે. 


પાલનપુરમાં ભ્રષ્ટાચારી વિકાસ  ધરાશાયી થયો!

રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દુર્ઘટનામાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક દુર્ઘટના પાલનપુરમાં સર્જાઈ છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિર્માણ  પામેલા બ્રિજ ધરાશાયી થતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 


કોંગ્રેસે આ વાતને લઈ સરકાર પર કર્યા પ્રહાર 

મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજ નહીં સરકારનો ભ્રષ્ટાચારી વિકાસ પડ્યો છે! જ્યાં સુધી કમલમ જતું કમિશન બંધ નહીં થાય ત્યાં સુધી આવો ભ્રષ્ટારી વિકાસ જ દેખાશે!



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.