12 કલાકની અંદર બની બીજી ટ્રેન દુર્ઘટના, બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં લાગી આગ, ઘટનામાં દાઝયા આટલા લોકો


  • Published By :
  • Published Date : 2023-11-16 15:06:15

ટ્રેન દુર્ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. કોઈ વખત ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો કોઈ વખત ટ્રેનમાં આગ લાગે છે. છેલ્લા 12 કલાકમાં બે ટ્રેનોમાં આગ લાગી છે. યુપીના ઈટાવામાં બીજી મોટી રેલ દુર્ઘટના બની છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે, મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આની પહેલા પણ ટ્રેનના ડબ્બામાં લાગી હતી આગ

દિવાળી દરમિયાન અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ફાયર વિભાગની ટીમ દિવાળી દરમિયાન દોડતી રહી હતી. તો બીજી તરફ ટ્રેનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં માત્ર થોડા કલાકોની અંદર બીજી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. થોડા સમય પહેલા બુધવાર સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. એ ત્રણ ડબ્બામાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તેવા સમાચાર આવ્યા ન હતા. તો ફરી એક વખત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

વારંવાર થતી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે!  

ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તે જાણવા માટે તપાસ થઈ રહી છે. આગ લાગવાને કારણે 19 જેટલા લોકો દાઝ્યા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વારંવાર બનતી આવી આગની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.