12 કલાકની અંદર બની બીજી ટ્રેન દુર્ઘટના, બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં લાગી આગ, ઘટનામાં દાઝયા આટલા લોકો


  • Published By :
  • Published Date : 2023-11-16 15:06:15

ટ્રેન દુર્ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. કોઈ વખત ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો કોઈ વખત ટ્રેનમાં આગ લાગે છે. છેલ્લા 12 કલાકમાં બે ટ્રેનોમાં આગ લાગી છે. યુપીના ઈટાવામાં બીજી મોટી રેલ દુર્ઘટના બની છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે, મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આની પહેલા પણ ટ્રેનના ડબ્બામાં લાગી હતી આગ

દિવાળી દરમિયાન અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ફાયર વિભાગની ટીમ દિવાળી દરમિયાન દોડતી રહી હતી. તો બીજી તરફ ટ્રેનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં માત્ર થોડા કલાકોની અંદર બીજી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. થોડા સમય પહેલા બુધવાર સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. એ ત્રણ ડબ્બામાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તેવા સમાચાર આવ્યા ન હતા. તો ફરી એક વખત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

વારંવાર થતી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે!  

ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તે જાણવા માટે તપાસ થઈ રહી છે. આગ લાગવાને કારણે 19 જેટલા લોકો દાઝ્યા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વારંવાર બનતી આવી આગની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે..  



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે