ફરી એક વખત સર્જાઈ ટ્રેન દુર્ઘટના, Ajmer નજીક સાબરમતી Trainના ડબ્બા પાટા પરથી ઉતર્યા, સદનસીબે જાનહાની ટળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-03-18 13:36:47

એક સમય હતો જ્યારે રોડ અકસ્માતની ઘટના બનવી સામાન્ય હતી પરંતુ હવે ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તે ઘણી જોખમી વાત છે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ટ્રેનની ટક્કર થાય છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. ઓડિશામાં બનેલી દુર્ઘટના તો ના જ ભૂલાય. આ બધા વચ્ચે ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત સવારે 1.00 વાગ્યાની આસપાસ બની છે. 

4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...! 

ટ્રેન અકસ્માતની અનેક ઘટનાઓ આપણી સામે છે અને તેમાં પણ ઓડિશામાં બનેલી ભયાનક દુર્ઘટના કેવી રીતે ભૂલાય? તે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જતા રહ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે બાદ રેલવે દુર્ઘટનાના અનેક સમાચાર આપણી સામે  આવ્યા છે. તે વખતે પણ અનેક ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે ફરી એક વખત ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રેનને અકસ્માત નડ્યો છે તે ટ્રેન છે અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ. અજમેર નજીક આ અકસ્માત સર્જાયો છે અને ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનાને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી... મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ સતત વધી રહી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે