ચંદ્રબાબૂ નાયડૂની રેલીમાં ફરી એક વખત થઈ નાસભાગ, ગુંટૂરમાં યોજાયેલ કાર્યક્રમમાં થયા 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 09:29:45

આંધ્રપ્રદેશમાં ફરી એક વખત નાસભાગ થવાને કારણે 3 લોકોના મોત થયા છે. ગુંટુરમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુની સભા હતી જેમાં આ નાસભાગની દુર્ઘટના બની છે. ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂ નાયડૂના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાર દિવસોમાં આવી ઘટના બીજી વાર બનવા પામી છે.


નાસભાગ થવાને કારણે 3 લોકોના થયા મોત

થોડા દિવસો પહેલા ચંદ્રબાબુ નાયડૂની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારોની ભીડ એકત્રિત થઈ હતી. આ જનસભામાં નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે 8 કાર્યકરોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવી જ નાસભાગ ફરી એક વખત નાયડૂના રોડશોમાં થવા પામી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે ચંદ્રબાબૂએ કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક દુ:ખદ દુર્ઘટના છે. મને આ વાતનો અફસોસ છે. આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.