વધુ એક આસમાની આફત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-01 16:41:46

રાજ્યમાં તાજેતરમાં થયેલા માવઠા બાદ વધુ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે માવઠાની આગાહી કરી છે. ખેડૂતો માટે આસમાની આફત સાબિત થયેલા માવઠાને હજુ ભૂલી શકાયું નથી ત્યાં વધુ એક સંકટથી તેમની પરિસ્થિતી કફોડી બની છે. હવામાન વિભાગેના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે. ઉલ્લેખનિય છે આજે પણ દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 


આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 'ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે, જ્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લીમખેડામાં માવઠું તેની અસર બતાવી શકે છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે જ પ્રકારે આજે 24 કલાકમાં દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઇ શકે છે.'


નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન


મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્રમાં હાલ એક સર્ક્યુલેશન છે જેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણેક દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી દિવસના ટેમ્પરેચરમાં વધારો થશે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ઉલ્લેનિય છે કે અત્યાર સુધીની સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 19.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.