Gujaratમાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, બોગસ સર્ટિફિકેટ બનાવી પોલીસ વિભાગમાં લેવો હતો પ્રવેશ, આ રીતે કૌભાંડ ઝડપાયું


  • Published By :
  • Published Date : 2023-08-23 14:24:52

ગુજરાતમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અનેક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બોગસ સર્ટિફિકેશનના આધારે પોલીસ વિભાગમાં ઘૂસે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આ કૌભાંડ સફળ રહ્યો હોત તો આવી રીતે અનેક બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવવાના હતા. પરંતુ પોલીસે પહેલા જ કોલ લેટરમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. 4 લોકોની આ મામલે અટકાયત કરી લેવામાં આવી છે.       


પોલીસ વિભાગમાં ખોટી રીતે ઘૂસવાનો હતો પ્રયત્ન!  

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થઈ રહ્યા છે કે સવાલ થાય કે કઈ પરીક્ષામાં કૌભાંડ નથી થતું? એક પણ એવો વિભાગ કદાચ નહીં હોય કે જ્યાં કૌભાંડ ન થતું હોય. ત્યારે ફરી એક વખત કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ પણ પોલીસ વિભાગની ભરતીમાં. પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.


ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો પ્રદિપ મકવાણા  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 19 ઓગસ્ટે  પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી તે દરમિયાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી છે. મેહુલ તરજેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું.  


આ મામલે પોલીસે તપાસ માટે ચક્રો કર્યા ગતિમાન 

ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં  પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હાલ આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો  છે. એટલું જ નહીં  અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!