BJPમાં પડ્યું વધુ એક રાજીનામું, ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ આ શહેરના મહામંત્રીએ છોડ્યું કે છોડવું પડ્યું પોતાનું પદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 19:03:06

ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સવારે એક સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, કોંગ્રસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજીનામા પર અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા

પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રદીપસિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાળી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. તે સિવાય હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.  તો આમ આદમી પાર્ટીથી મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી છે. આપના નેતાએ આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના ઘરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે, કંઈ ગંભીર રંધાઈ રહ્યું છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે?


વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ પણ ધરી દીધું રાજીનામું

આ બધા વચ્ચે એક જ દિવસમાં ભાજપમાં એક બીજા પદાધિકારીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એક જ દિવસમાં બે પદાધિકારીઓના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ-ચાર દિવસ પહેલા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 


એકા-એક રાજીનામા પડવાથી રાજનીતિ ગરમાઈ 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને કારણે તેમજ શિસ્તતાને કારણે વખણાય છે. એવું કહેવાય છે કે જો એક વખત કોઈ નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ તે નિર્ણયનો વિરોધ નથી કરતા. જૂથવાદ ભાજપમાં પણ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. પરંતુ જૂથવાદ ભાજપમાંથી પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સી.આર.પાટીલ હાલ ચર્ચામાં છે પરંતુ અચાનક અંગત કારણોસર આપવામાં આવતા રાજીનામાને કારણે આવનાર સમયમાં રાજનીતિ વધુ ગરમાઈ શકે છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!