TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા વધુ એક ધારાસભ્ય! YuvrajSinh Jadejaએ કરી ટ્વિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 16:27:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અનેક અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું હતું પરંતુ આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ ઉમેદવારોને પકડી લેવામાં આવતા હતા. જેને કારણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શક્તા ન હતા. 

ભાજપના બે ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ અનેક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કરાર આધારિત ભરતી કરવાના બદલે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.  ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 સીટો મળી છે. ત્યારે 156માંથી ભાજપના અનેક ધારાસભ્યો છે જેઓ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડિયાએ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી છે. તે ઉપરાંત ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા પણ આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે.

Image

સાધુ સંતોને ઉમેદવારોએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વખત હનુમાનજીને પત્ર લખે છે તો કોઈ વખત શિવજીને પત્ર લખે છે. થાળી અને તાળીના માધ્યમથી પણ તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ-સંતોને પણ પત્ર લખી રજૂઆત ઉમેદવારોએ કરી હતી. 


ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અનેક નેતાઓ 

ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. શિક્ષક દિવસના દિવસે  જ્યારે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેઓ જોડે હતા. આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સિવાય કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાવિ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન શું રંગ લાવે છે?    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!