ગીર સોમનાથ: દ્વારકાથી દર્શના કરી સુત્રાપાડા જતાં શ્રદ્ધાળુઓની બસ પલટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:15:45

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા. દ્વારકા દર્શન કરી પરત ફરતી વખતે ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી.કોઈ મોટી જાનહાનિ નહીં શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાય હતા 


ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી 


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ બસ મારફતે દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા.દ્વારકા દર્શન કરી ગત રાત્રિના પરત ફરતી વખતે રાત્રે 2:30 વાગ્યા આસપાસ સુત્રાપાડા ફાટક થી સુત્રાપાડા વચ્ચે ખરાબ રસ્તાના કારણે બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ પલટી મારી હતી.ભારે જહેમત બાદ બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા.કોઈ મોટી જાનહાનિ નથી થઈ શ્રદ્ધાળુઑને નાના મોટી ઇજા થતાં હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા.

સુત્રાપાડા ફાટક થી સિંગલ પટ્ટીનો રોડ છે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે.ભારે વરસાદના કારણે સિંગલ પટ્ટીના રોડની સાઈડ પણ ધોવાય ગઈ છે જેના કારણે જો સામ સામે મોટા વાહનો આવી જાય તો જીવન જોખમે વાહનો પસાર કરવા પડે છે. અવાર નવાર આ રસ્તા પર અકસ્માત થાઈ છે.અવારનવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોઇ એમ લાગી રહ્યું છે.

સુત્રાપાડા ફાટકથી કોડિનાર વાયા સુત્રાપાડા તરફ જતો રસ્તો અતિ દયનીય હાલતમા

રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો ?

આ રસ્તા પરીથી રાજકીય નેતાઓ પણ પસાર થાઈ છે પરંતુ એમને આ ખરાબ રસ્તા,રાહદારીઓની મુસકેલી,અકસ્માત જેવા બનાવો ધ્યાને આવતા જ નથી.કારણ કે એમની પાસે મોંઘી ગાડીઓ હોઇ છે જેમાં નેતાઓને ખાડાનો અહેસાસ નથી થતો

આ રસ્તા પર ગંભીર અકસ્માત પણ સર્જાય છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે એનો જવાબદાર કોણ ? 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.