ગીર સોમનાથ: દ્વારકાથી દર્શના કરી સુત્રાપાડા જતાં શ્રદ્ધાળુઓની બસ પલટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:15:45

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા. દ્વારકા દર્શન કરી પરત ફરતી વખતે ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી.કોઈ મોટી જાનહાનિ નહીં શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાય હતા 


ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી 


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ બસ મારફતે દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા.દ્વારકા દર્શન કરી ગત રાત્રિના પરત ફરતી વખતે રાત્રે 2:30 વાગ્યા આસપાસ સુત્રાપાડા ફાટક થી સુત્રાપાડા વચ્ચે ખરાબ રસ્તાના કારણે બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ પલટી મારી હતી.ભારે જહેમત બાદ બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા.કોઈ મોટી જાનહાનિ નથી થઈ શ્રદ્ધાળુઑને નાના મોટી ઇજા થતાં હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા.

સુત્રાપાડા ફાટક થી સિંગલ પટ્ટીનો રોડ છે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે.ભારે વરસાદના કારણે સિંગલ પટ્ટીના રોડની સાઈડ પણ ધોવાય ગઈ છે જેના કારણે જો સામ સામે મોટા વાહનો આવી જાય તો જીવન જોખમે વાહનો પસાર કરવા પડે છે. અવાર નવાર આ રસ્તા પર અકસ્માત થાઈ છે.અવારનવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોઇ એમ લાગી રહ્યું છે.

સુત્રાપાડા ફાટકથી કોડિનાર વાયા સુત્રાપાડા તરફ જતો રસ્તો અતિ દયનીય હાલતમા

રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો ?

આ રસ્તા પરીથી રાજકીય નેતાઓ પણ પસાર થાઈ છે પરંતુ એમને આ ખરાબ રસ્તા,રાહદારીઓની મુસકેલી,અકસ્માત જેવા બનાવો ધ્યાને આવતા જ નથી.કારણ કે એમની પાસે મોંઘી ગાડીઓ હોઇ છે જેમાં નેતાઓને ખાડાનો અહેસાસ નથી થતો

આ રસ્તા પર ગંભીર અકસ્માત પણ સર્જાય છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે એનો જવાબદાર કોણ ? 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.