સનાતન ધર્મને લઈ વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, A Rajaએ સનાતન ધર્મની તુલના કરી HIV સાથે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-07 18:36:38

સનાતન ધર્મ પર એક બાદ એક નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે.


સનાતન ધર્મની તુલના સાંસદે HIV સાથે કરી 

એક બાદ એક નેતાઓ, સાંસદો સનાતન ધર્મને લઈ એવા નિવેદનો આપી રહ્યા છે જેને લઈ વિવાદ સર્જાઈ રહ્યા છે. સનાતન ધર્મની તુલના ઉદયનિધીએ મચ્છર સાથે કરી હતી ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મની તુલના HIV સાથે કરી છે. સાંસદે કહ્યું કે સનાતન પર ઉદયનિધીનું વલણ નરમ હતું.  સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે કરવી જોઈએ... જોકે ઉદયનિધિએ સનાતનની સરખામણી માત્ર મેલેરિયા સાથે કરી છે... સનાતનની સરખામણી એચઆઈવી અને કુષ્ઠ રોગો જેવી સામાજિક કલંકીત બિમારીઓ સાથે કરવી જોઈએ... 


આરજેડી નેતાએ પણ સનાતન ધર્મને લઈ આપી પ્રતિક્રિયા 

એ રાજા સિવાય બીજા એક રાજનેતા પણ ભાન ભૂલ્યા હોય તેવું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મને લઈ આરજેડી નેતા જગદાનંદસિંહે નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે "દેશ કયા સમયે ગુલામ થયો, શું તે સમયે કર્પૂરી ઠાકુર, લાલૂ પ્રસાદ, રામ મનોહર લોહિયા જેવા નેતા હતા... તિલક લગાવી ફરનારાઓએ ભારતને ગુલામ બનાવ્યું... દેશ મંદિર બનાવવાથી કે મસ્જિદ જોડવાથી નહીં ચાલે... 

 


સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે સનાતન ધર્મને લઈ પીએમ મોદીએ મંત્રીઓને સૂચના આપી છે. મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનને સારી રીતે તથ્યો સાથે જવાબ આપવામાં આવે. એક તરફ આ મામલો શાંત થયો નથી ત્યારે તો બીજા અનેક નેતાઓએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે આજે સ્મૃતિ ઈરાનીએ સનાતન ધર્મને લઈ પ્રતિક્રિયા આપી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.