Gujaratમાં પેપર લીકની વધુ એક ઘટના, જાણો કઈ યુનિવર્સિટીમાં ફૂટ્યું પેપર? Yuvrajsinhએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો દાવો કે.. જુઓ


  • Published By :
  • Published Date : 2024-04-19 17:58:51

ગુજરાત અને પેપર લીક એક બીજાનો પર્યાય બની ગયું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. કોઈ વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થાય છે તો કોઈ વખત કોલેજની પરીક્ષાનું પેપર લીક થાય છે... પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને જેને કારણે અનેક યુવાનોના સપનાઓ તૂટી જાય છે.. 


યુવરાજસિંહે પેપર લીકને લઈ કર્યો ઘટસ્ફોટ!

ત્યારે આજે ફરી એક વખત પેપર લીક થવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ રહેલી પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બીસીએ સેમ 4નું પેપર લીક થયું છે... પેપરના સમય પહેલા જ પેપર વાયરલ થયાનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં આજે પેપર હતું જે લીક થયું છે..



પેપર લીક અટકે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી

ઉમેદવાર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે તેની આંખોમાં સપના હોય છે.. પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવી આશા હોય છે ઉમેદવારની પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે તે આશાઓ તૂટી જાય છે અને તંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી જાય છે..! મહત્વનું છે કે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યું છે અને પરીક્ષાઓ રદ્દ થઈ ગઈ છે જેને કારણે ઉમેદવારોમાં, યુવાનોમાં ભારે રોષ જોવા મળતો હોય છે... પેપર લીક જેવી ઘટનાઓ રોકાય તે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી છે...   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.