ગુજરાતમાં ફરી બની બ્રિજ ધરાશાયી થવાની ઘટના! જાણો કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ક્યાં થયો ધરાશાયી?


  • Published By :
  • Published Date : 2023-06-14 16:44:44

પુલ તૂટવું તેમજ પુલનું વિવાદમાં આવવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મોરબીમાં દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. તે બાદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો. તે હજુ શાંત થયો ન હતો તો અટલ ફૂટ બ્રિજ પર લાગેલા કાચ પર તિરાડ દેખાવાની ઘટના સામે આવી. ત્યારે આજે ફરી એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. જે બ્રિજ ધરાશાયી થયો છે તેનું તો હજી લોકાર્પણ પણ થયું ન હતું. તાપીના વ્યારાના માયપુર અને દેહામાં ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. 


તાપીમાં બની પુલ ધરાશાયી થવાની ઘટના!

બ્રિજનિર્માણ દરમિયાન વપરાતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. થોડા સમય પહેલા શરૂ કરાયેલા  બ્રિજને પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને તો વિવાદ ચાલે છે ત્યાં તો તાપીના વ્યારાથી પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  


બે કરોડના ખર્ચે થયું પુલનું નિર્માણ!    

આ ઘટનાની વાત કરીએ તો તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થઈ ગયું હતું અને અંદાજીત બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. હજી બ્રિજનું લોકાર્પણ થવાનું હજી બાકી છે જેથી જાનહાની ટળી છે પરંતુ તાજેતરમાં જ નિર્માણ પામેલો બ્રિજ આવી રીતે ધરાશાયી થાય તો બ્રિજની કામગીરી પર સવાલ ઉઠવા સ્વભાવિક છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યના બ્રિજોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.