દિલ્હીમાં વધુ એક યુવતી પર થયો હુમલો, મિત્રતા તોડતા આરોપીએ યુવતી પર છરીના ઘા ઝીંક્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 13:10:49

દિલ્હીમાં ફરી એક છોકરી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. એક તરફ જ્યાં અંજલી સાથે બનેલી ઘટના અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ વધુ એક છોકરી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા પર યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધી હતી.

  

છરીના ઘા ઝીંકી આરોપી ફરાર થયો 

દિલ્હી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અંજલીના કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક છોકરી પર છરી દ્વારા હુમલો થવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આદર્શ નગર વિસ્તારમાં બની છે. સોમવારે બ્રેકઅપથી નારાજ થઈ યુવકે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવતીને પેટ, ગરદન અને હાથ પર ઈજા પહોંચી હતી. આરોપીને લાગ્ચું કે યુવતી મૃત્યુ પામી છે જેથી તે ત્યાંથી નાસી છૂટ્યો. 


યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતીની આરોપી સાથે અંદાજે 5 વર્ષથી મિત્રતા હતી. પરંતુ પરિવારને આરોપી સાથેની મિત્રતા ગમતી ન હતી. જેને કારણે યુવતીને મિત્રતા તોડવા કહ્યું. જેને કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી દીધી. યુવતીએ જણાવ્યું કે સોમવારે જ્યારે તે ડ્રાઈવીંગ શિખવા માટે ઘરેથી નીકળી તે દરિમયાન વાત કરવાના બહાને આરોપીએ તેને મળવા બોલાવી. અને મિત્રતા તોડવાનું કારણ પૂછ્યું. તે બાદ આરોપીએ યુવતીને છપ્પાના ઘા ઝીંકી ઘાયલ કરી દીધી.  આરોપીને લાગ્યું કે યુવતી મરી ગઈ છે એટલે તે ત્યાંથી નાસી ગયો. પરંતુ આસપાસના લોકોએ યુવતીને હોસ્પિટલ ખસેડી અને હાલ ડોક્ટરની દેખરેખમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીને લાગ્યું કે યુવતી મૃત્યુ પામી છે. જેને લઈ તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ યુવતી તે સમયે જીવતી હતી. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને હાલ તેની સારવાર ચાલી રહી છે.  આ ઘટનાની જાણ થતા પોલીસને થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. પોલીસે અંબાલા પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.    



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.