અમદાવાદના સીટીએમ બ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી મોતની છલાંગ, કૂદકો મારવાની ચોથી ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-03 17:12:39

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતોના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. એક મહિનામાં બ્રિજ પરથી ઝંપલાવવાની ચોથી ઘટના છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીએ આ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

આપઘાત કરી જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. બ્રિજ પરથી કૂદકો મારવાની આજે ચોથી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ યુવતીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


બ્રિજ પરથી કૂદકો મારવાની બની ચોથી ઘટના 

મહિનામાં કૂદકો મારવાની આ ચોથી ઘટના બની છે. ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. ઈજાઓ પહોંચતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા 7માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી કૂદકો મારે તે પહેલા રાહદારીઓ દ્વારા તેને સમજાવી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.