વધુ એક પરીક્ષા Gujaratમાં થઈ રદ્દ! વિદ્યુત સહાયકની પરીક્ષા આ કારણે કરાઈ કેન્સલ, સાંભળો આ મામલે શું કહ્યું Yuvrajsinhએ?


  • Published By :
  • Published Date : 2023-12-20 13:26:03

ગુજરાતમાં પરીક્ષાઓ રદ થાય કે પછી ભરતી પ્રક્રિયા રદ થાય એ હવે સામાન્ય થઈ ગયું છે ફરી ગુજરાતમાં એક ભરતી રદ થઈ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોતાની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા માટે પહેલાથી જાણીતા છે  જેના અનેક કિસ્સાઓ મીડિયામાં પણ આવી ચુક્યા છે. ત્યારે હવે GETCOનું વધારે એક ભોપાળું બહાર આવ્યું છે. તમામ પ્રકારની પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ પુર્ણ કર્યા બાદ આખરે ઓર્ડર આપવાના હતા તેની પહેલા સમગ્ર ભરતી જ અચાનક રદ્દ કરી દીધી છે. પોલ ટેસ્ટ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023ના રોજ યોજાઇ હતી. 

તપાસ કમિટીની કરવામાં આવી રચના 

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજુઆત પણ કરાઇ હતી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીમાં લેવાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL અને GSTCO દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા નહી લેવાઈ અને પછી . તપાસ કમિટીની રચના થઇ હતી. તપાસમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી સમગ્ર ભરતી પરીક્ષા રદ્દ જાહેર કરવામાં આવી હતી.


યુવકે કરી હતી ઈચ્છામૃત્યુની માગ!

વાત એમ હતી કે 20 નવેમ્બરે ધોળાજી યુવકે જુનાગઢમાં જેટકો ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે રજુઆતો કરવા છતા કોઇ નિરાકરણ નહી આવતા યુવક એ ઈચ્છા મૃત્યુની વાત કરી હતી  અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત થતા સમગ્ર મામલે તપાસ થઇ અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.  અને હવે એ ભરતી જ રદ કરી દેવામાં આવી છે 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.