વધુ એક ચક્રવાતનું સંકટ! અરબ સાગરમાં બનેલી સિસ્ટમ Gujaratમાં ફરી વરસાદ લાવશે? આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:11:37

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી માવઠાને કારણે ચોમાસાની સિઝન જામી હોય તેવું લાગે છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે ચક્રવાત આવે છે અને કમોસમી વરસાદ પડે છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિગની અસર વાતાવરણ પર પડે છે!

વિકાસ કરવાના ચક્કરમાં અનેક વખત આપણે જાણે અજાણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. અનેક ઝાડો કાપવામાં આવ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર દેખાઈ રહી છે. ચક્રવાત સર્જાવાને કારણે વરસાદ પણ ખેંચાઈ જાય છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે શિયાળામાં અથવા તો ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક ચક્રવાત આવવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

2023ના એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં બે વાવાઝોડા એવા ભયંકર હતા કે તેણે જનજીવન પ્રભાવિત કરી દીધું. 2023નું પહેલું વાવાઝોડું બિપોરજોય હતો જે અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું. બીજુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું  મિચોંગ વાવઝોડુ છે જેણે દક્ષિણ ભારતના રાજ્યોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ એક ચક્રવાત અરબી સમુદ્રમાં સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોને વધારે ભોગવવાનો વારો આવે છે. પાકને વ્યાપક નુકસાન થાય છે જેને કારણે ખેડૂતો પાયમાલ થાય છે. જે ચક્રવાત સક્રિય થવાનું છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.