વધુ એક કોંગ્રેસી નેતાએ પાર્ટીને કહ્યું રામ-રામ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:52:06

જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતા બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના નેતા નિરંજન પટેલે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. 

નિરંજન પટેલે પાર્ટીને કહ્યું અલવિદા

ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હજી સુધી પેટલાદ વિધાનસભા માટે નામની જાહેરાત કરવામાં આવી નથી. 

પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનાની ઝપેટમાં, આણંદ જિલ્લામાં 4 કોરોના  પોઝિટીવ કેસ | Petlad MLA Niranjan Patel in case of corona, 4 corona  positive cases in Anand district - Divya Bhaskar

કોંગ્રેસને એક બાદ એક મળી રહ્યા છે ઝટકા 

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમના સિવાય ભાવેશ કટારાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બધા બાદ નિરંજન પટેલે પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આટલા બધા નેતાઓના જવાથી જાણે કોંગ્રેસમાં વિવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે બીજા અનેક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.