ગુજરાતમાં વધુ એક રાષ્ટ્રીય નેતા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ! રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ તેજસ્વી યાદવ સામે કરાયો કેસ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 09:22:19

થોડા સમય પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે વધુ એક નેતા વિરૂદ્ધ માનહાનિનો કેસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુાસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાના નિવેદનમાં તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા કરાયેલા નિવેદન બદલ ફરિયાદ કરવામાં આવી છે. 


ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કર્યો છે કેસ! 

ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે મેટ્રો કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. 


ઠગવાળા નિવેદનને લઈ તેજસ્વી યાદવ સામે દાખલ કરાઈ ફરિયાદ!

આ કેસ હજી શાંત નથી પડ્યા ત્યારે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓને તેજસ્વી યાદવે ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદનને લઈ ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે.  22 માર્ચ 2023ના રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. આ મામલે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.                



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.