Ahmedabadમાં વધુ એક બ્રિજ કૌભાંડ! 97 કરોડના ખર્ચે બનેલો સનાથલ બ્રિજ પર પડ્યા ખાડા! Gujarat AAPએ કર્યા કટાક્ષ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-18 12:52:34

આપણે ત્યાં ભલે ગમે તેટલા કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજો બનતા હોય પરંતુ થોડા સમય બાદ જ રસ્તા પર બ્રિજ પર ખાડા પડી જતા હોય છે. કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવાને કારણે માત્ર મહિનાઓની અંદર જ ડામર રસ્તા પર દેખાતો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો વધુ એક બ્રિજ ચર્ચામાં આવ્યો છે. અમે વાત કરીએ છીએ 10 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલા સનાથલ બ્રિજની. 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર સનાથલ ઓવરબ્રીજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે. 

97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા ખાડા!

થોડા સમય પહેલા હાટકેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો હતો. હલકી ગુણવત્તાવાળો સામાન વપરાવવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તા પર ખાડા પડી જતા હોય છે અથવા તો રસ્તા પર પાથરવામાં આવેલો ડામર બહાર આવી જતો હોય છે. અનેક બ્રિજો એવા છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા વચ્ચે  97 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો હોય તેવું લાગે છે. 10 મહિના પહેલા બનેલા બ્રિજ પર ડામર ઉખડી ગયો છે.  

Sanathal Bridge: Corruption exposed in one more bridge in Ahmedabad, Inferior quality asphalt used in Sanathal Bridge exposed અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ

આપ ગુજરાતે બ્રિજની કામગીરીને લઈ કર્યા પ્રહાર 

10 મહિના પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો એ વાત તો ઠીક પરંતુ 3 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરેક બ્રિજના સમારકામની એક જ કહાની, કરોડો રૂપિયાનો થાય ભ્રષ્ટાચાર અને આખરે જનતા ભોગવે પરેશાની.    



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.