મોંઘવારીનો વધુ એક ફટકો,સતત બીજા દિવસે વધ્યા સિંગતેલના ભાવ, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-02-15 13:01:14

સિંગતેલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો સિંગતેલમાં કરવામાં આવ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. જે 15 કિલ્લોના તેલનો ડબ્બો થોડા સમય પહેલા 2800ની આસપાસ મળતો હતો તે હવે 2900ની આસપાસ મળતો થઈ ગયો છે. ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


બીજા દિવસે પણ સિંગતેલના ભાવમાં થયો વધારો 

મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સતત થતા ભાવ વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધની કિંમતમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતા મધ્ચમ વર્ગીય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈ કાલે સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો હતો તો આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.  


મગફળીની બમ્પર આવક છતાં વધતા તેલના ભાવ 

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. બે દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મગફળીની બમ્પર આવક થઈ છે. પરંતુ તેમ છતાંય સતત બે દિવસથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.