મોંઘવારીનો વધુ એક માર, પહેલી એપ્રિલથી જરૂરિયત વાળી દવાઓ થશે મોંઘી, પેઈનકિલરથી લઈ પેરાસિટામોલ દવાઓ થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-03-28 14:57:09

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધી રહેલી મોંઘવારીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત સિંગતેલના ભાવમાં વધારો થાય છે ત્યારે એપ્રિલ મહિનામાં દવામાં ભાવ વધારો થવા જઈ રહ્યો છે. પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થયો છે. આવશ્યક દવાઓની વાત કરીએ તો તેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ સહિતની અનેક દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ વધારા પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે.



ફાર્મા કંપનીએ કરી ભાવ વધારો કરવાની માગ  

રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. વાસ્તવમાં સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંડમાં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એનપીપીએ જણાવ્યું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગે દવાની કિંમતોમાં ભાવ વધારો કરવાની માગ કરી હતી. 


એસેન્શિયલ લિસ્ટમાં કરાયો ફેરફાર 

મળતી માહિતી અનુસાર દવાઓની કિંમતમાં અંદાજીત 12 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સતત બીજી વખત બની રહ્યું છે કે દવાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે દવાઓનો ઉપયોગ દેશના અનેક લોકો કરે છે તેને એશેન્શિયલ દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓનું લિસ્ટ 2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. પેરાસિટામોલ સિવાય આ લિસ્ટમાં 384 જેટલી દવાઓનો સમાવેશ થાય છે જ્યારે 24 દવાઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.


મોંઘવારીનો માર સહન કરવો પડશે

જે આવશ્યક દવાઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. મહત્વનું છે આ દવાઓની કિંમત સરકારના કંટ્રોલમાં હોય છે. 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દવાઓમાં ભાવ વધારો થતાં મોંઘવારીનો મારો લોકોને સહન કરવું પડશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.