BJPના વધુ એક નેતાને કરવો પડ્યો વિરોધનો સામનો! Bhavnagarમાં Nimuben Bambhaniyaના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 16:20:56

લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉમેદવારના પ્રચાર માટે અનેક જગ્યાઓ પર સભાઓનું, કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેનને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર-ઠેર થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. પોતાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યો. આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો અનેક નેતાઓને કરવો પડ્યો છે. 



ભાવનગરમાં નિમુબેનને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો સી.આર.પાટીલને, હાર્દિક પટેલને, ભાનુબેન બાબરિયાને તેમજ અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે. સભા માટે જ્યારે નેતાઓ પહોંચે છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી જાય છે અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરે છે.. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડી રહી હોય તેવું લાગે છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યાં તેમનો વિરોધ નથી થયો... આ બધા વચ્ચે ભાવનગરમાં નિમુબેનની સભા થઈ રહી હતી ત્યાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી પરષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. 


વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ  

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે અનેક વખત બેઠક થઈ પરંતુ વિવાદનો અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે ફરી એક વખત આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી..        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.