દિલ્લીમાં સ્કૂલની વિદ્યાર્થિની પર ફેંક્યું એસિડ, મહિલા આયોગ લાલઘુમ


  • Published By :
  • Published Date : 2022-12-14 15:00:31

દિલ્લીના દ્વારકા મોડ વિસ્તારમાં આજે સવારે સાડા સાત વાગ્યા નજીક 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર બે યુવાનો આવે છે અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંક્યું હતું. હાલ વિદ્યાર્થિની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેની સારવાર કરાઈ રહી છે. 


દિલ્લી પોલીસે એસિડ ફેંકનારની કરી અટકાયત

દિલ્લીના મોહન ગાર્ડન વિસ્તારમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર એસિડ એટેક કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને સવારે 9 કલાકે ખબર પડી હતી કે છોકરી પર એસિડ એટેક થયો છે. 


અમે વર્ષોથી લડીએ છીએ પણ સરકાર ગંભીર નથીઃ મહિલા આયોગ

સમગ્ર મામલે દિલ્લી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલાએ નિવેદન આપ્યું હતું કે પીડિત દિકરીની મદદ માટે મહિલા આયોગની ટીમ સફદરજંગ પહોંચી છે. સ્વાતી માલીવાલાએ આશ્વાસન આપ્યું હતું કે પીડિત દિકરીને જરૂરથી ન્યાય મળશે. તેમણે જણાવ્યું હતું કે એસિડ એટેક માટે મહિલા આયોગ ઘણા સમયથી લડતું આવ્યું છે પણ સરકાર ગંભીરતાથી પગલા નથી લઈ રહ્યું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.