Ahmedabad : Iskon Bridge પર સર્જાયો વધુ એક અકસ્માત, બેફામ રીતે આવી રહેલી ગાડીએ લીધો રાહદારીનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 13:44:31

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં તો તે જ જગ્યા પર બીજો એક અકસ્માત સર્જાયો છે . એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારે આ અકસ્માત 10 નહીં પરંતુ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ રાહદારીને ટક્કર મારી છે અને અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ગાડીવાળાએ ટક્કર મારી હતી જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  


તથ્યકાંડ બાદ પોલીસે શરૂ કરી હતી મેગાડ્રાઈવ 

તથ્યકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અમદાવાદમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચલાવી, કાયદાનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. જ્યારે અમદાવાદમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલી રહી હતી તે સમયે પણ અનેક લોકો એવા હતા જે કાયદાનો ભંગ કરી ગાડી ઓવરસ્પીડમાં ચલાવતા હતા, ડ્રિંક કરી ડ્રાઈવ કરતા હતા, વગેરે વગેરે... એ સમયે પોલીસની ડ્રાઈવને જોતા લાગતું હતું કે અકસ્માતોની સંખ્યા પર અંકુશ આવી જશે. લોકોમાં કાયદાનો ડર રહેશે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા પહેલા લોકો વિચાર કરશે પરંતુ ના, કંઈ જ નથી બદલાયું. તથ્યકાંડમાંથી પણ લોકો નથી શિખ્યા કે ઝડપીની મજા બીજા માટે મોતની સજા બનતી હોય છે. મેગા ડ્રાઈવ બાદ પણ પોલીસનો  અને કાયદાનો ડર લોકોને ન હોય તેવું લાગી રહ્યું છે. 


ઈસ્કોન બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત

તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એટલા માટે યાદ કરવો છે કારણ કે ઈસ્કોન બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એક રાહદારીનું મોત થઈ ગયું છે. ગુરૂવાર રાત્રે અકસ્માત સર્જાયો છે અને જે વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે તેમનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને કારચાલક કોણ હતો, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસની શરૂઆત પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.