રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, જીવનદાયીની સાબિત થતી એમ્બ્યુલન્સની થઈ ટક્કર! થયા ત્રણ લોકોના મોત... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-26 11:33:24

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારજનોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર બન્યો છે. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દીના બે સગા છે. મળતી માહિતી અનુસાર બે મહિલાના મોત આ ઘટનામાં થયા છે. 

News18 Gujarati

ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત 

દર્દીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ અનેક વખત લાભકારી સાબિત થતી હોય છે. એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોના જીવ બચ્યા હશે કારણ કે તે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે અને દર્દીને સારવાર મળતી હોય છે. પરંતુ એક ચોટીલા- રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હાઈવે પર અનેક વખત જોવા મળતું હોય છે કે વાહનો બેફામ બની ચલાવતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે બીજાના ભૂલની સજા બીજાને ભોગવવી પડતી હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. 


દર્દીનો થયો આબાદ બચાવ પરંતુ...! 

ત્યારે જે અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો છે તેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી  તેવી માહિતી સામે આવી છે. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓનો તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દર્દીની તબિયત ખરાબ થઈ જતા તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક સાથે ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ. મહત્વનું છે કે આ ઘટનામાં દર્દીનો આબાદ બચાવ થયો છે.     



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.