Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા અકસ્માતોમાં ગયા આટલા લોકોના જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-06 11:18:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલો અકસ્માત હજી ભૂલાયો નથી ત્યારે તો અમદાવાદમાં ફરીથી માત્ર 24 કલાકની અંદર અકસ્માતો સર્જાયા જેમાં 5 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક વખત એટલા ગંભીર અકસ્માત સર્જાય છે કે જે અકસ્માતનો ભોગ બન્યા હોય તેમના માટે બચવું અશક્ય થઈ જતું હોય છે. અનેક કારણોસર અકસ્માત સર્જાતા હોય છે પરંતુ ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે.   



નાસ્તો કરીને ઘરે પરત ફરી રહેલા યુવાનોને નડ્યો અકસ્માત 

ત્યારે એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તાજેતરમાં જે અકસ્માત સર્જાયો છે તે હેબતુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના  રસ્તા પર સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવી રહેલી ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ, તે બાદ વીજપોલ સાથે અને અને છેલ્લે ગાડી પલટી ગઈ. ગાડીમાં 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બીજા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે કારચાલક સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક કોણ હતો તેની તપાસ પોલીસે આરંભી દીધી છે. મળતી માહિતી અનુસાર નવા વાડજમાં રહેતા મિત્રો રાત્રે દોઢેક વાગ્યે કર્ણાવતી ક્લબ નજીક આવેલા એક પાર્કમાં નાસ્તો કરવા આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં અકસ્માત સર્જાયો. કારચાલક ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. 



અકસ્માતની અન્ય ઘટનાઓ આ વિસ્તારમાં બની 

મહત્વનું છે છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. બીજી ઘટનામાં ઘાટલોડિયામાં રહેતા પતિ પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. ક્રોમા સેન્ટર પાસે બાઈક મૂકી બીઆરટીએસ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાયલ કુંવરને ટક્કર મારી હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું, તો બીજો એક અકસ્માત સોમવાર સવારે જ નિપજ્યો હતો જેમાં નોકરીએ જઈ રહેલા અંકિતભાઈ અકસ્માતનો ભોગ બન્યા છે. બાઈક લઈને ઓવર બ્રિજ પર  જઈ રહ્યા હતા જ્યાં લક્ઝરી બસે બાઈકને ટક્કર મારી જેને કારણે તેઓ નીચે પટકાયા. નીચે પટકાવાને કારણે બસનું ટાયર તેમના પર ફરી વળ્યું  અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ઘટનાસ્થળ જ તેમનું મોત થઈ ગયું. આ તો એ આંકડો જેની ખબર પડી છે. 


પૂર ઝડપે આવતી ગાડીઓ અનેક વખત બને છે અકસ્માતનું કારણ

મહત્વનું છે કે અકસ્માતના જેટલા પણ કેસો બને છે તેમાં મુખ્યત્વે ઓવરસ્પીડિંગ જ કારણ હોય છે. ગાડીને પૂર ઝડપે પહેલા કાર ચાલક દોડાવે પરંતુ જ્યારે અચાનક બ્રેક લગાવાની આવે ત્યારે ગાડી પરથી કંટ્રોલ જતો રહે અને અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ વધતી હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અને નશામાં ડ્રાઈવ કરવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ થોડા સમય પહેલા આપણે જોયું. ગાડી ચલાવતી વખતે આપણી મજા કોઈના માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!