પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, જાણો ગુજરાતના કયા અધિકારીના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-01-25 11:13:00

આવતી કાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે. વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. 

ગૃહમંત્રાલયે નામ અંગેની કરી જાહેરાત!   

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોના નામ અંગેની જાહેરાત કરી છે. તે ઉપરાંત સેવા ચંદ્રકોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે. સુરક્ષાકર્મીઓને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ફાયર સર્વિસ, પોલીસકર્મી, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ સર્વિસ આપનાર કર્મીઓનો સમાવેશ છે. 

Gallantry Awards: આ વર્ષે 1132 જવાનોનું સન્માન કરવામાં આવશે, ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ

કોના કોના નામની કરાઈ જાહેરાત?

જે વિગતો સામે આવી છે તે પ્રમાણે કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કાર્યો કરનારનો સમાવેશ છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.  તે ઉપરાંત ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, છત્તીસગઢના કર્મચારી તેમજ અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.