અન્નપૂર્ણા વ્રતનો આજથી થયો પ્રારંભ, જાણો અન્નપૂર્ણા વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-29 09:34:19

માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ ભોષણ કરનાર દેવી માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભીક્ષા માંગવા આવેલા ભગવાન શંકરને અન્ન આપ્યું હતું. ત્યારે મતાાજીને પ્રિય એવા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. 

श्री अन्नपूर्णा षष्ठी का व्रत कर पायें धन धन्‍य और सुखी परिवार का अाशीर्वाद  - Know the importance of Shri Annapurna Shashti fast

અન્નપૂર્ણા વ્રત 21 સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માગશર સુદ છઠ્ઠથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને માગશર વદ અગિયારસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રતની વિધી પ્રમાણે 21 સુતરના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે અને તેને ધારણ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા અન્નપૂર્ણાને કંકુ, ચંદન તેમજ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. માતાજીની પ્રતિમા અથવા તો ફોટાને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર મૂકી માતાજીની પૂજા કરવી જોઈએ. માતાજી સમક્ષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ મંત્રથી માતાજીની પૂજા કરવી જોઈએ. 

અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાન્નદેહિ ચ પાર્વતી ।।  

માતા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કીણીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાજીની સાચા દિલથી પૂજા કરે છે તેના ઘરમાં કદી અન્ન ખુટતું નથી. આ વ્રત દરમિયાન અનેક લોકો એક ટાણું પણ કરતા હોય છે. માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું. અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં કદી ધાન્યની ખોટ ન થાય તે માટે ભક્તો દ્વારા આ વ્રત કરવામાં  આવે છે.  




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.