Ankleshwar GIDC : લાકડાના ગોડાઉનમાં ભડકી આગ સર્જાયો અફરા-તફરીનો માહોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-10 11:33:43

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે માલહાની તેમજ જાનહાની થતી હોય છે. થોડા દિવસ પહેલા જામનગરમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગી હતી. ત્યારે ફરી એક આગ લાગવાની ઘટના અંકલેશ્વરમાં બની છે. જીઆઈડીસીમાં આવેલી એક પેકેજિંગ કંપીનામાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબુમાં લાવવા માટે તૈયારી હાથ ધરી હતી. 

આગ લાગવાને કારણે સર્જાયો અફરા તફરીનો માહોલ  

ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પેકેજિંગ કંપનીમાં આગ લાગવાને કારણે કોઈનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આગ એટલી ભયંકર હતી કે પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલી કંપની પણ આગની લપેટમાં આવી ગઈ. મહત્વનું છે કે આવી ઘટનામાંઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.