"અંકિતા હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝીંદા હૈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:36:04

ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકાંડે લોકોમાં રોષનો માહોલ ઉભો કરી દીધો છે. ગુસ્સામાં લોકોએ બદ્રીનાથ હાઈવે પર જામ લગાવી દીધો હતો. રવિવારે અંકિતાના અંતિમ સંસ્કારની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હુ સુધી તેના પરિજનોએ કોઈ તૈયારી નથી દર્શાવી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અંકિતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ સરકાર તરફથી પૂરા સાથનું સમર્થન આપ્યું હતું. પહેલા અંકિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર હતા તેવા સમાચાર આવ્યા હતા ત્યાર બાદ મામલો બગડતા પરિવાર અંતિમ સંસ્કારની મનાહી કરી દીધી હતી. 


અંકિતાના સમર્થનમાં જનસમર્થન 

ઉત્તરાખંડનું જનસમર્થન પણ અંકિતાના પરિવાર સાથે દેખાઈ રહ્યા છે. આક્રોષિત થઈ લોકોએ નેશનલ હાઈવે 125 પર જામ લગાવી દીધો હતો. લોકોએ હાઈવે જામ કરી અંકિતાના સમર્થનમાં અને તેને ન્યાય મળે તેવા નારા લગાવ્યા હતા. 


અંકિતાના અંતિમ સંસ્કાર માટે રખાઈ શરત  

અંકિતાના અંતિમ સંસ્કાર મામલે સમાચાર મળી રહ્યા છે કે એઈમ્સથી ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરી શકાય. જનસમર્થને પોતાની વાત સામે રાખી હતી કે જ્યાં સુધી અંકિતાનો મૃતદેહ નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. 


અંકિતા 18 સપ્ટેમ્બરથી ગાયબ હતી અને ત્યારથી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમમાં અંકિતાનું મોત ડૂબવાથી થયું હોવાનો થયો હતો ખુલાસો.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.