અંજૂના પાકિસ્તાની મિત્રનો મોટો ખુલાસો 'તેની સાથે લગ્નનો કોઈ ઈરાદો નથી, 20 ઓગસ્ટએ ભારત આવશે'


  • Published By :
  • Published Date : 2023-07-24 19:03:07

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. હવે આવી જ એક અન્ય લવ સ્ટોરી ભારતની અંજૂ નામની પરિણીત મહિલાની પણ છે, અંજૂ તેના પાકિસ્તાની મિત્રને મળવા માટે ગઈ છે. અંજૂ વૈધ તેના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દિર જિલ્લામાં પહોંચી ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. અંજૂને ઉપરી દિર જિલ્લા માટે 30 દિવસના વિઝિટ વિઝા મળ્યા છે. જો કે હવે આ મામલે અંજૂના પાકિસ્તાની મિત્રનું નિવેદન આવ્યું  છે જે મુજબ તેણે અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાનું કહેવું છે કે તેમનું 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.


વર્ષ 2019માં થઈ હતી ફેશબુક પર દોસ્તી


અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો છે, અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજૂની 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર પણ છે. નસરૂલ્લા અને અંજૂની દોસ્તી વર્ષ 2019માં ફેશબુક દ્વારા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિમી દુર કુલ્સો ગામથી ફોન પર વાતચીત દરમિયાન નસરૂલ્લાને કહ્યું કે " અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી, તેમણે કહ્યું કે તે 20 ઓગસ્ટે વીઝાની સમય મર્યાદા પુરી થયા બાદ ભારત પરત ફરશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે જ બીજા રૂમમાં રહે છે."


અંજુ સાથે માત્ર દોસ્તી, કોઈ લવ એન્ગલ નથી- નસરુલ્લા


નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ લવ એન્ગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટ મુજબ તે ઉપર દીર જિલ્લાની બહાર પણ નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે જણાવ્યું હતું કે, "વિઝા દસ્તાવેજો મુજબ, તે 20 ઓગસ્ટે પરત ફરશે."


નસરુલ્લાએ કહ્યું કે જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેમની પત્ની જલ્દી પરત આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.