અનિલ અંબાણીની આ કંપની પણ ડૂબી, ટ્રેડિંગ બંધ ગયું, પ્રોપર્ટીઝ વેચવા માટે NCLTની લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-12-14 19:02:27

અનિલ અંબાણી (Anil Ambani)સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ કેપિટલ  (Reliance Capital)ના વેચાણ માટે પણ બોલી લગાવવામાં આવી હતી. હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અન્ય નાદાર કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(Reliance Communication)ની કેટલીક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના વેચાણને મંજૂરી આપી છે. અનિલ અંબાણીની કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જણાવ્યું હતું કે કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા અરજીના મામલે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ મુંબઈ બેંચનો આદેશ જોડવામાં આવ્યો હતો, જેમાં કંપનીની કેટલીક બિનજરૂરી સંપત્તિના વેચાણ માટે NCLT પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. હવે NCLTએ તેને મંજૂરી આપી દીધી છે.


રિલાયન્સ કોમ્યુનિકેશનની કઈ સંપત્તિ વેચાશે?


વેચાણ માટે રિલાયન્સ કોમ્યુનિકેશનની અસ્કયામતોમાં ચેન્નાઈમાં હેડો ઓફિસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈમાં લગભગ 3.44 એકર જમીન છે. આ ઉપરાંત પુણેમાં 871 ચોરસ મીટરમાં ફેલાયેલ ભુવનેશ્વરમાં ઓફિસનું સ્થળ પણ વેચવામાં આવશે. કેમ્પિયન પ્રોપર્ટીઝના શેરમાં રોકાણ અને રિલાયન્સ રિયલ્ટીના શેરમાં રોકાણ પણ વેચવામાં આવશે.

Image

શેરબજારમાં ટ્રેડિંગ બંધ


શેરબજારમાં રિલાયન્સ કોમ્યુનિકેશનનું ટ્રેડિંગ બંધ થઈ ચુક્યું છે. તેના શેરનું ટ્રેડિંગ લાંબા સમયથી રૂ. 2.49ના ભાવ પર બંધ છે. BSE પર તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી, 2008ના રોજ આ કંપનીના શેર રૂ. 800 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થતા હતા, પરંતુ હવે તે રૂ. 2.49 પર બંધ છે. આ રીતે તેના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપની કેમ ડૂબી ગઈ?


મુકેશ અંબાણી (Mukesh Ambani)એ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. તે પછી મોટાભાગના લોકો રિલાયન્સ જિયોની સર્વિસ તરફ શિફ્ટ થવા લાગ્યા હતા. ત્યારે જ રિલાયન્સ કોમ્યુનિકેશનના યુઝર્સમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો હતો અને થોડા જ સમયમાં લોકો રિલાયન્સ કોમ્યુનિકેશનમાંથી સંપૂર્ણપણે પાછા હટી ગયા હતા, જેથી કંપની ડૂબી ગઈ હતી.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.