GETCOની ભરતી પ્રક્રિયા રદ્દ થતા પરીક્ષાર્થીઓમાં રોષ, Vadodara ખાતે Yuvrajsinhની હાજરીમાં ઉમેદવારોએ ઉચ્ચારી ચીમકી કે..


  • Published By :
  • Published Date : 2023-12-21 13:24:30

જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરતી પ્રક્રિયા રદ્દ થવાને કારણે મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં હાજર છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓએ ચીમકી આપી કે તેઓ ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરશે. ગેરરીતિ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.  



યુવરાજસિંહની આગેવાનીમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ

ગુજરાતમાં પરીક્ષાઓ રદ્દ થવી, ભરતી પ્રક્રિયા રદ્દ થવી સામાન્ય બની ગયું છે. અનેક ભરતી પ્રક્રિયા , પરીક્ષા રદ્દ થાય છે ત્યારે યુવાનોના સપના તૂટી જાય છે. ત્યારે વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ્દ થઈ છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. જેટકો ઓફિસ ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કચેરીના ગેટની બહાર બેસી પરીક્ષાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે.   

  





ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.