GETCOની ભરતી પ્રક્રિયા રદ્દ થતા પરીક્ષાર્થીઓમાં રોષ, Vadodara ખાતે Yuvrajsinhની હાજરીમાં ઉમેદવારોએ ઉચ્ચારી ચીમકી કે..


  • Published By :
  • Published Date : 2023-12-21 13:24:30

જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરતી પ્રક્રિયા રદ્દ થવાને કારણે મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં હાજર છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓએ ચીમકી આપી કે તેઓ ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરશે. ગેરરીતિ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.  



યુવરાજસિંહની આગેવાનીમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ

ગુજરાતમાં પરીક્ષાઓ રદ્દ થવી, ભરતી પ્રક્રિયા રદ્દ થવી સામાન્ય બની ગયું છે. અનેક ભરતી પ્રક્રિયા , પરીક્ષા રદ્દ થાય છે ત્યારે યુવાનોના સપના તૂટી જાય છે. ત્યારે વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ્દ થઈ છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. જેટકો ઓફિસ ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કચેરીના ગેટની બહાર બેસી પરીક્ષાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે.   

  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.