સરકાર સામે હવે આંગણવાડી કાર્યકરો મેદાનમાં, લઘુત્તમ વેતનની માંગ સાથે રાજકોટમાં ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:47:18

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી  રહી છે તેમ સરકાર સામે જનાક્રોશ વધી રહ્યો. રાજ્ય સરકાર સામે વિવિધ વર્ગનાં કર્મચારીઓ ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યનાં એક લાખ જેટલા આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહી છે. રાજકોટ જિલ્લાનાં હજારો આંગણવાડી કાર્યકરોએ આજે જિલ્લા પંચાયત કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉમટી પડી હતી અને કમિશ્નર, ડીડીઓ, જિલ્લા પંચાયતના વિપક્ષનાં નેતાને મળીને લઘુતમ વેતન આપવા સહિતની માગણીને લઈને રોષભેર રજુઆત કરી હતી. 


રાજકોટમાં ઉમટી હજારો આંગણવાડી કાર્યકરો


સમગ્ર જિલ્લામાંથી આવેલી લગભગ ત્રણ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં એકઠી થઈ હતી.  આંગણવાડી બહેનોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, અસહ્ય મોંઘવારીમાં ગુજરાત સરકાર માત્ર 7,800 રૂપિયાનું વેતન આપે છે જયારે હરિયાણામાં ભાજપ સરકાર  રૂ. 11000, મધ્યપ્રદેશમાં રૂ.11000 દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર રૂ.11500 વેતન આપે છે. ગુજરાતમાં અમને લઘુતમ વેતન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર માત્ર ખોટા વાયદા જ આપે છે હવે સરકાર પરથી હવે ભરોસો ઉઠી ગયો છે.


મહિલા સશક્તિકરણની માત્ર વાતો 


આંગણવાડી વર્કરોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો ભાજપ સરકાર માત્ર મહિલા સશકતિકરણની માત્ર વાતો જ કરે છે. રાજકોટ જિલ્લામાં સુપરવાઈઝર તરીકેનાં પ્રમોશન લાંબા સમયથી આંગણવાડી કાર્યકરોને અપાયા નથી આ મૂદે પણ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ પડતર માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં પણ ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


જુના મોબાઈલ સરકારમાં પરત કરાશે


આંગણવાડી બહેનોને આંકડાકીય કામગીરી માટે વર્ષ 2019 માં મોબાઈલ સરકારે આપ્યા હતા. જો કે આ મોબાઈલ સારી કવોલીટીનાં ન હોવાથી ચાલતા જ નથી. મોબાઈલ શો પીસ  સમાન બની ગયા હોવાનો આંગણવાડી બહેનોએ  રોષ ઠાલવ્યો હતો. સરકાર સારી કવોલીટીનાં મોબાઈલ નહીં આપે તો જુના માોબાઈલ સરકારમાં પરત આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.