સરકાર સામે હવે આંગણવાડી કાર્યકરો મેદાનમાં, લઘુત્તમ વેતનની માંગ સાથે રાજકોટમાં ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:47:18

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી  રહી છે તેમ સરકાર સામે જનાક્રોશ વધી રહ્યો. રાજ્ય સરકાર સામે વિવિધ વર્ગનાં કર્મચારીઓ ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યનાં એક લાખ જેટલા આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહી છે. રાજકોટ જિલ્લાનાં હજારો આંગણવાડી કાર્યકરોએ આજે જિલ્લા પંચાયત કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉમટી પડી હતી અને કમિશ્નર, ડીડીઓ, જિલ્લા પંચાયતના વિપક્ષનાં નેતાને મળીને લઘુતમ વેતન આપવા સહિતની માગણીને લઈને રોષભેર રજુઆત કરી હતી. 


રાજકોટમાં ઉમટી હજારો આંગણવાડી કાર્યકરો


સમગ્ર જિલ્લામાંથી આવેલી લગભગ ત્રણ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં એકઠી થઈ હતી.  આંગણવાડી બહેનોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, અસહ્ય મોંઘવારીમાં ગુજરાત સરકાર માત્ર 7,800 રૂપિયાનું વેતન આપે છે જયારે હરિયાણામાં ભાજપ સરકાર  રૂ. 11000, મધ્યપ્રદેશમાં રૂ.11000 દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર રૂ.11500 વેતન આપે છે. ગુજરાતમાં અમને લઘુતમ વેતન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર માત્ર ખોટા વાયદા જ આપે છે હવે સરકાર પરથી હવે ભરોસો ઉઠી ગયો છે.


મહિલા સશક્તિકરણની માત્ર વાતો 


આંગણવાડી વર્કરોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો ભાજપ સરકાર માત્ર મહિલા સશકતિકરણની માત્ર વાતો જ કરે છે. રાજકોટ જિલ્લામાં સુપરવાઈઝર તરીકેનાં પ્રમોશન લાંબા સમયથી આંગણવાડી કાર્યકરોને અપાયા નથી આ મૂદે પણ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ પડતર માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં પણ ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


જુના મોબાઈલ સરકારમાં પરત કરાશે


આંગણવાડી બહેનોને આંકડાકીય કામગીરી માટે વર્ષ 2019 માં મોબાઈલ સરકારે આપ્યા હતા. જો કે આ મોબાઈલ સારી કવોલીટીનાં ન હોવાથી ચાલતા જ નથી. મોબાઈલ શો પીસ  સમાન બની ગયા હોવાનો આંગણવાડી બહેનોએ  રોષ ઠાલવ્યો હતો. સરકાર સારી કવોલીટીનાં મોબાઈલ નહીં આપે તો જુના માોબાઈલ સરકારમાં પરત આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.