આંગણવાડી બહેનોએ સરકાર સામે ખોલ્યો આંદોલનનો મોરચો! વિવિધ માગણી સાથે કામથી અળગા રહેવાની કરી જાહેરાત.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 12:24:32

છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાની માગ કરી રહી છે. અનેક વખત તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ નહીંવત સાબિત થયું. કોઈ પરિણામ ન આવ્યું જેને લઈ આંગણવાડી બહેનોમાં, આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો હતો. આંગણવાડી બહેનોએ આખરે સરકાર સામે બાંયો ચઢાવી છે. બે દિવસ પોતાના કામથી અળગા રહેવાની જાહેરાત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાઓ પર આંગણવાડી બહેનો દ્વારા તેમજ આશાવર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે 2500થી વધુ આંગણવાડીઓ બંધ રહેશે. 

આશા વર્કર બહેનોએ તેમની પડતર માંગણીઓ લઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન


જો માગણીઓ નહીં સંતોષાય તો આશાવર્કર બહેનો ઉપાડશે આ પગલું! 

આંગણવાડી બહેનોનું કહેવું છે કે 2018થી પગાર વધારવામાં નથી આવ્યો. અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે સરકાર સમક્ષ ઉગ્ર લડત લડવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે પોતાની પડતર માગણીઓને લઈ. આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની માગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો તેમજ સાંસદોના ઘરનો તેઓ ઘેરાવો કરશે. 

Image


સરકારી કર્મચારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાયા!

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે સરકાર સામે. સરકારી કર્મચારીઓની માગણી છે કે બઢતીનો રેશિયો વધારવો જોઈએ, ફિક્સ પગાર નાબૂદી કરવી જોઈએ. તે ઉપરાંત અન્ય પણ માગણીઓ છે જેને લઈ સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સચિવાલય સંકુલમાં સરકારી કર્મચારીઓ કાળા કપડામાં સજ્જ દેખાયા હતા. શિક્ષકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!