જનસભામાં થયેલી નાસભાગ બાદ આંધ્રપ્રદેશ સરકારે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-03 15:15:10

આંધ્રપ્રદેશમાં થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જનસભા અને રોડ-શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાજમાર્ગ તેમજ રોડ પર જનસભા અને રેલીઓ પર રોક લગાવી દીધી છે.

jagran


આંધ્રપ્રદેશ સરકારે લીધો નિર્ણય

થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ માટે જનસભા તેમજ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં મોટા પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો હોવાને કારણે નાસભાગ સર્જાઈ હતી. નાસભાગ થવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં હતા. એક વખત તો આવી ઘટના સર્જાઈ પરંતુ બીજી વખત પણ આવી જ ઘટના સર્જાઈ હતી. પ્રથમ વખત જ્યારે ઘટના બની તે દરમિયાન 8 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે બીજી વખતની ઘટનામાં 4 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને કારણે આંધ્રપ્રદેશ સરકારે એક નિર્ણય કર્યો જેમાં સાર્વજનિક રસ્તાઓ પર તેમજ ગલીઓમાં રોડ-શો તેમજ જનસભાઓ કરવા પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.